19/07/2019
પ્રેસનોટ-૦૧
તા. ૧૯.૦૭.૨૦૧૯
------------
આપણે સૌ ખૂબજ ભાગ્યશાળી છીએ કે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાનો આપણે એક હિસ્સો છીએ. જનસંઘ સમયથી લાખો કાર્યકર્તાઓએ રાતદિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કર્યો છે. તે સમયના કાર્યકર્તાઓની મહેનત અને અવિરત પ્રયાસોનું પરિણામ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ.
- શ્રી જે.પી.નડ્ડાજી
------------
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ભારતના પ્રત્યેક નાગરિકની સુખાકારીની ચિંતા કરવાની સાથે વૈશ્વિક સ્તરે ભારતની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સતત કાર્યશીલ છે ત્યારે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતના ભાજપાના કાર્યકર્તાઓની જવાબદારી સવિશેષ વધી જાય છે.
- શ્રી જે.પી.નડ્ડાજી
------------
રશીયા, સાઉથ કોરિયા, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબીયા દ્વારા તેના સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી દ્વારા દિલ્હી ખાતે ‘‘ચેમ્પીયન ઓફ ધ અર્થ’’ સન્માનથી શ્રી નરેન્દ્રભાઇ મોદીને નવાજવામાં આવ્યા છે. આ બધી બાબતો વિશ્વનો ભારત પ્રત્યેનો બદલાયેલો દ્રષ્ટિકોણ દર્શાવે છે. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
ભાજપા ગરીબો, શોષિતો અને વંચિતો માટે સદાય ચિંતા કરનારી પાર્ટી રહી છે. આજે ભાજપાની કેન્દ્ર તથા રાજ્યની સરકારો સર્વસ્પર્શી અને લોકકલ્યાણકારી યોજનાઓ વ્યાપક પણે જનજન સુધી પ્રસરે તે માટે કટિબધ્ધ છે.
- શ્રી જે.પી.નડ્ડાજી
------------
સર્વસમાવેષક નીતિઓ મહદ્ અંશે સમાજના દરેક સ્તરે પ્રસરે અને વિચારધારાનો વ્યાપ વધે તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ. સૌ સાથે મળીને પાર્ટીને યશસ્વી બનાવીએ. દેશ ખુશહાલ બને અને ગૌરવથી કહી શકીએ કે અમે ભારતીય છીએ. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા લોકોની જીવનશૈલી સુધારવા સાથે તેઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે તેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ છે. વિશ્વના ઘણાખરા દેશોની જેટલી કુલ વસ્તી છે તેના કરતા વધુ લાભાર્થીઓને ‘‘આયુષ્યમાન ભારત’’ યોજનાનો લાભ મળવાનો છે. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
ભાજપા એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોથી કાર્યકર્તાઓનું ઘડતર થાય છે. સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ કાર્યકર્તાઓના ઘડતર અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક ઉત્તમ અવસર છે. સમાજના દરેક વર્ગ સુધી સર્વસ્પર્શી અને સર્વવ્યાપક આ અભિયાન બને તે માટે આપણે સૌ કટિબધ્ધ થઇએ. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
ગુજરાતના આ બે દિવસીય પ્રવાસ દરમ્યાન ઓછા સમયમાં વધુમાં વધુ કાર્યકર્તાઓને મળવાનું આયોજન ગુજરાતની ટીમ ભાજપા દ્વારા કરવામાં આવ્યુ છે તેના માટે હું સૌને ધન્યવાદ પાઠવું છું. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તથા ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી સુરેન્દ્રભાઇ પટેલ તથા ભાજપાના પ્રદેશ મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ભાજપાના ધારાસભ્યશ્રીઓની બેઠક યોજાઇ હતી.
ત્યારબાદ ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ પ્રદેશકક્ષાની સંગઠનાત્મક બેઠકમાં તેમના પ્રેરક સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના આ બે દિવસીય પ્રવાસ દરમ્યાન ઓછા સમયમાં વધુમાં વધુ કાર્યકર્તાઓને મળવાનું આયોજન ગુજરાતની ટીમ ભાજપા દ્વારા કરવામાં આવ્યુ છે તેના માટે હું સૌને ધન્યવાદ પાઠવું છું.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ બેઠકમાં ગુજરાત ભાજપાના જમીની સ્તર પર જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ઉપરાંત ભાજપાની નીતિરીતિને જમીની સ્તર પર કાર્યરત કરવાવાળી ટીમ પણ આજ છે. સાચા અર્થમાં સમગ્ર ગુજરાતમાં ભાજપાની વિચારધારા વ્યાપક રીતે પ્રસારનાર આ ગુજરાત ભાજપા ટીમને મળીને ખુબજ હર્ષની લાગણી અનુભવું છું.
શ્રી નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, આપણે સૌ ખૂબજ ભાગ્યશાળી છીએ કે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાનો આપણે એક હિસ્સો છીએ. જનસંઘના સમયની પરિસ્થિતિનો ચિતાર આપતા શ્રી નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, આજથી ૪૦ વર્ષ પૂર્વ સતત હારવા છતા પણ આપણા કાર્યકર્તાઓ અવિરત પણે ચૂંટણીઓનો સામનો કરતા હતા. જનસંઘ અને દિપના નિશાન માટે લાખો કાર્યકર્તાઓએ રાતદિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કર્યો છે. તે સમયના કાર્યકર્તાઓની મહેનત અને અવિરત પ્રયાસોનું પરિણામ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ. સ્વ. શ્રી અટલ બિહારી બાજપાઇજીની પ્રથમવાર પ્રધાનમંત્રી તરીકેની શપથવિધિ સમયે અનેક કાર્યકર્તાઓ ભાવુક બન્યા હતા. જેમાં કાર્યકર્તા અને ભાજપાનો અતૂટ લાગણીના સબંધ પ્રતિપાદિત થાય છે.
શ્રી નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, ભાજપા આજે વિશ્વસ્તરે સૌથી મોટી રાજકિય પાર્ટી બની છે સાથે સાથે સૌથી વધુ રાજ્યોમાં સરકાર રૂપે કાર્યરત છે. તેઓએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ હંમેશા કહે છે કે ભાજપાને સર્વોચ્ય સુધી પહોંચવાનું હજી બાકી છે. વર્તમાન સમયમાં યોગ્ય દિશામાં યોગ્ય કાર્ય કરવા માટે અને લોકોની ચિંતા કરતો પક્ષ ભાજપા બન્યો છે. આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વૈશ્વિક સ્તરે કરેલી ભારતની કાયાપલટ અને ભાજપામાં લોકોનો અતુટ વિશ્વાસ જેવા મુદ્દાઓ પર સંશોધનો કરવામાં આવશે.
શ્રી નડ્ડાજીએ ભાજપાની અંત્યોદયની વિચારધારાને વ્યાપક બનાવવાના નિર્ધાર સાથે જણાવ્યુ હતુ કે, ભાજપા ગરીબો, શોષિતો અને વંચિતો માટે સદાય ચિંતા કરનારી પાર્ટી રહી છે. આજે ભાજપાની કેન્દ્ર તથા રાજ્યની સરકારો સર્વસ્પર્શી અને લોકકલ્યાણકારી યોજનાઓ વ્યાપક પણે જનજન સુધી પ્રસરે તે માટે કટિબધ્ધ છે. આ બાબત કેન્દ્ર સરકારના હાલમાં જ રજુ થયેલા બજેટમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ભારત ૫ ટ્રીલીયનની ઇકોનોમી બનવા તરફ અવિરતપણે આગળ વધી રહ્યુ છે. સાથે સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ભારતના પ્રત્યેક નાગરિકની સુખાકારીની ચિંતા કરવાની સાથે વૈશ્વિક સ્તરે ભારતની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. આ તબક્કે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતના ભાજપાના કાર્યકર્તાઓની જવાબદારી સવિશેષ વધી જાય છે.
આજે સમગ્ર દેશ પ્રત્યેક ઘટનાઓ, પ્રત્યેક પરિણામો અને પ્રત્યેક વિકાસકાર્યોને લક્ષ્યમાં લઇને ગુજરાત તરફ મીટ માંડીને બેઠો છે. સમગ્ર દેશના માર્ગદર્શક રાજ્ય તરીકેની ભૂમિકા ગુજરાત ભજવી રહ્યુ છે. ગત ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપાને મળેલ ભવ્ય વિજય બાદ ગુજરાતના વિકાસ મોડેલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભાજપાને ઐતિહાસિક વિજય મળ્યો છે. સાથે સાથે વોટશેર પણ વધ્યો છે. આ સફળતાના સારથી આ સૌ કાર્યકર્તાઓ છો. ભાજપા એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોથી કાર્યકર્તાઓનું ઘડતર થાય છે. સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ કાર્યકર્તાઓના ઘડતર અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક ઉત્તમ અવસર છે. સમાજના દરેક વર્ગ સુધી સર્વસ્પર્શી અને સર્વવ્યાપક આ અભિયાન બને તે માટે આપણે સૌ કટિબધ્ધ થઇએ.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અને લોકોને તેનાથી મળેલો સીધેસીધો લાભને કારણે ગત લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપાને જનતાનો પ્રચંડ જનાદેશ મળ્યો છે. પાર્ટી અને જનતા વચ્ચેનું માધ્યમ એટલે કાર્યકર્તા. સરકારની તમામ લોકોને સ્પર્શતી, લાભદાયી યોજનાઓ જનજન સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું દાયિત્વ કાર્યકર્તાનું છે.
શ્રી નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા લોકોની જીવનશૈલી સુધારવા સાથે તેઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે તેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ છે. વિશ્વના ઘણાખરા દેશોની જેટલી કુલ વસ્તી છે તેના કરતા વધુ લાભાર્થીઓ ‘‘આયુષ્યમાન ભારત’’ યોજનાનો લાભ મળવાનો છે. આજે આયુષ્યમાન ભારત યોજનાની ગણના વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમમાં થાય છે.
શ્રી નડ્ડાએ ભારતની વૈશ્વિક સ્તરે બદલાયેલી છબીને ઉજાગર કરતા જણાવ્યુ હતુ કે, રશીયા, સાઉથ કોરિયા, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબીયા દ્વારા તેના સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી દ્વારા દિલ્હી ખાતે ‘‘ચેમ્પીયન ઓફ ધ અર્થ’’ સન્માનથી શ્રી નરેન્દ્રભાઇ મોદીને નવાજવામાં આવ્યા છે. આ બધી બાબતો વિશ્વનો ભારત પ્રત્યેનો બદલાયેલો દ્રષ્ટિકોણ દર્શાવે છે.
શ્રી નડ્ડાજીએ અંતમાં જણાવ્યુ હતુ કે, સર્વસમાવેષક નીતિઓ મહદ્ અંશે સમાજના દરેક સ્તરે પ્રસરે અને વિચારધારાનો વ્યાપ વધે તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ. સૌ સાથે મળીને પાર્ટીને યશસ્વી બનાવીએ. દેશ ખુશહાલ બને અને ગૌરવથી કહી શકીએ કે અમે ભારતીય છીએ.
આ બેઠકમાં ભાજપા પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજકશ્રી, પ્રદેશ અગ્રણીશ્રીઓ, ભાજપાના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખશ્રીઓ, તમામ ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જશ્રીઓ તથા વિવિધ બોર્ડ/નિગમના ચેરમેન-ડે.ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.