02/08/2026
મહેંદી સ્પર્ધા.. કન્યા છાત્રાલયમાં...
જય માતાજી.
અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગર દ્વારા બા શ્રી નયનાબા એમ.જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય ના દીકરીબા માટે ખાસ મહેંદી સ્પર્ધા રાખવામાં આવી હતી. પ્રદેશ મંત્રી બા શ્રી રીટાબા ઝાલા અને પ્રમુખ બા શ્રી ગીતાબા ઝાલા ની આગેવાની માં કાર્યકારી પ્રમુખ બહેન શ્રી ગીતાબા રાણા ઉધલ તથા ઉપપ્રમુખ બહેન શ્રી નયનાબા જાડેજા તથા સર્વે કમિટી ના બહેનો ના સાથ સહકાર થી પ્રિન્સીપાલ બહેન શ્રી કલ્પનાબા ની જહેમત થી તથા ટીચર બહેન શ્રી જલ્પાબા ચુડાસમા ના સાથ થી 41 દીકરી બા એ મેંહદી સ્પર્ધા માં ભાગ લીધો હતો.સતત અભ્યાસ થી થાકેલા દીકરીબા ને પોતાની કલા ખીલવવા નો આ સ્પર્ધા દ્વારા મોકો મળ્યો.ગૃહ માતા બા શ્રી કનકબા ના સાનિધ્ય માં બહુ સારું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ મુખ્ય મહેમાન તરીકે બા શ્રી નંદાબા બાસાહેબ તથા દેવયાનીબા પ્રહલાદસિંહ પરમાર તથા અર્ચનાબા મિતરાજસિંહ પરમાર પધાર્યા હતા.બા શ્રી નંદાબા બાસાહેબે 45 દીકરીબા ને એક દીકરીબા 251 ₹ નું કવર તેવા બધા દીકરી બા ને કવર આપી ખુશ કર્યા .કમિટી ના બહેનો એ પોતાના તરફ થી ગિફ્ટ આપી દીકરીબા ને પ્રોત્સાહિત કર્યા. જજ તરીકે બહેન શ્રી ભાવિનીબા ઝાલા હતા તથા દેવયાનીબા પરમાર અને નયનાબા જાડેજા તેમની સાથે રહ્યા હતા.
સુરેન્દ્રનગર મહિલા સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સફળ રહ્યો. કાર્યક્રમ ના આયોજન થી લઈ પૂરો થયો તેમાં જેમનો સાથ સહકાર રહ્યો તે દરેક ની ખૂબ ખૂબ ધન્યવાદ .જે દીકરીબા ના નં આવ્યા તેમને ખૂબ ખૂબ અભિનંદન.