28/03/2026
તારીખ 26/03/26 ને રોજ.... #ઝેનીલ_જયંતીભાઈ_મહેશ્વરી,7 વર્ષનો થયો.
આશરે 10 મહિના પહેલા #કેરા ગામ નો આ પરિવાર પોતાના 6 વર્ષ ની ઉંમર ના નાના દીકરા ને #ભગંદર(Fistula)ની બીમારી સાથે લઈને આવ્યા.
ઝેનીલ ના પિતા જયંતીભાઈ મહેશ્વરી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની માં નોકરી કરે અને પોતાના વ્હાલસોયા પુત્ર ની પીડા થી અત્યંત ચિંતિત હતા. એ બતાવવા આવ્યા ત્યારે,ઝેનીલ ને છેલ્લા દોઢ વર્ષ થી મળમાર્ગ ની બાજુ માં રસી - સુજન અને દુખાવા ની તકલીફ હતી તદુપરાંત તેઓએ એ સમયગાળામાં ઘણીબધી સારવાર ના પ્રયત્નો પણ કરી લીધા હતા. સારવાર ના એ પ્રયત્નો ની નિષ્ફળતા એ પરિવાર ને અમારા સરનામે પહોંચાળી ગઈ હતી.
#ભગવાન_ધન્વંતરિ ની કૃપા થી છેલ્લા 15 વર્ષ માં અમે હજારો દર્દીઓ ના મળમાર્ગ ની બીમારીઓ ની સારવાર કરી. એમાં ઘણા બાળકો ની સારવાર કરવાના નિમિત્ત પણ ભગવાને બનાવ્યા. મળમાર્ગ ની બીમારીઓ કોઈ પણ ઉંમર માં થઇ શકે, અને જો નિષ્ણાંત તબીબ દ્વારા યોગ્ય સારવાર લેવામાં આવે તો મટી પણ શકે. આ વિષય માટે સમાજ માં ઘણી જ બીક- ગેરસમજ- ઉદાસીનતા પ્રવર્તે છે ; જે ખરેખર અસ્થાને છે.
આ કિસ્સા નો ઉલ્લેખ કરવાનો ઉદેશ્ય એટલો જ હતો કે સારવાર પૂર્ણ થઇ એ દિવસે એ પરિવાર એ એક વાત મૂકી હતી કે, " સાહેબ, ઝેનીલ નો આવનારો જન્મદિવસ તમારી સાથે ઉજવશું!". જયંતીભાઈ ના પરિવાર એ લાગણી સાથે હોસ્પિટલ પર આવીને જન્મદિવસ ઉજવ્યો એટલું જ નહિ, હોસ્પિટલ માટે ભોળાનાથ મહાદેવ ભેટ સ્વરૂપે લઇ આવ્યા.
બાળક ને નારાયણ સ્વરૂપ કીધેલું છે, એમાં પણ દર્દી-નારાયણ ની એમના જન્મદિવસે મુલાકાત🙏🏻. ભગવાન ધન્વંતરિ દ્વારા આપેલ આ સુખદ આશ્ચર્ય માટે એમના ચરણો માં વંદન .......
એટલે શાસ્ત્રો માં સાચું જ કહ્યું છે........
"क्वचित् धर्मः क्वचित् अर्थः
क्वचित् मैत्री क्वचित् यशः।
कर्माभ्यासः क्वचित् च इति
चिकित्सा नास्ति निष्फला ||"
.........એક તબીબ એ કરેલી ચિકિત્સા ક્યારેય નિષ્ફળ જતી નથી......
ડૉ મેહુલસિંહ ઝાલા.
M.S. (Ayu).
Mo: 9510855859
ડૉ આશિષ ગજેરા
B.A.M.S.
MO: 9558870210
#પરમાર્થ_હોસ્પિટલ
રાજારામ કોમ્પલેક્ષ સામે
હોસ્પિટલ રોડ
ભુજ - કચ્છ
ફોન:(02832)250885
હરસ-મસા-ભગંદર-મળમાર્ગના રોગો અને ક્ષારસૂત્ર સારવાર માટેની વિશેષ હોસ્પિટલ
www.anocure.in
Speciality Hospital For Piles-Fissure-Fistula And Anorectal Disorders.