10/06/2026
#મામા #ભાણેજ ની #જુગલબંધી ___
_______ #વડીલો ની #સત્યનિષ્ઠા અને પુરુષાર્થ એક પ્રેરણા...
મારા બાપુજી( પિતાશ્રી) 75+ વર્ષ અને તેમના મામા લગભગ 95+ વર્ષ ઉમર ના છે. #કચ્છ #કાઠીયાવાડ સમસ્ત #સૌરાષ્ટ્રના વિવિધ પરગણામાં વિવિધ જ્ઞાતિ જાતિ ના (જ્ઞાતિ જાતિ એ સામાજિક વ્યવસ્થા રહેલ છે) વિવિધતા ભર્યા #પહેરવેશ, વડીલોની લગભગ છેલ્લી એ પેઢી છે જેમના માથા બાંધેલા હોય છે આજે નવી પેઢીના આપણે ઉઘાડે માથે ઘૂમિએ છીએ.
#ખેતી કાર્ય મહેનત પુરુષાર્થ થી કસાયેલા શરીર મોટે ભાગે દરેક ગામે વડિલોએ જાણે અજાણે #પ્રકૃતિ, #પર્યાવરણ, #કુદરતી સંપદાનું #સંરક્ષણ કરેલું. મને બાળપણ યાદ છે મારા બાપૂ વાંસમાંથી બનેલા મોટા હૂન્ડા (ડાલા) કે જેમાં કેરીને ગોઠવીને લગભગ 50 કિલો એટલે કે અઢી મણ જેટલી ભરી માથે ઉપાડી ચાલીને નજીકના ગામડાઓમાં વેચાણ માટે જતા.
#મહેનત #પરિશ્રમ #પુરુષાર્થ થી જ #પ્રારબ્ધ બને છે જે આ જ જન્મે તેમજ #જન્મોજન્મ #કર્મફળ #કર્માશય બની સાથે રહે છે સંપતિ અને અલગ અલગ દેશ નું #નાણું સાચા ખોટા કોઈ પણ માર્ગેથી મેળવી લેવાતું હોય છે પરંતુ સાચી #ધન #લક્ષ્મી સત્ય માર્ગ અને પુરુષાર્થથી જ મળે છે તેના દ્વારા #પરમાર્થ કાર્યો કરવાથી પ્રારબ્ધ( #ભાગ્ય) સારું બનતું રહે છે
વડીલોની #પ્રેરણા સાથે વર્તમાનમાં દરેક મનુષ્યએ, સંપતિ ભલે ગમે તેટલી હોય, સત્ય કર્મ સાથે પુરુષાર્થ કરતા રહી #નિર્વ્યસની રહી ઝેરીલા વિવિધ પીણા અને પ્લાસ્ટિક પડીકા ગળસવાથી મુક્ત થઈ શુદ્ધ આહાર વિચાર જીવનમાં ધારણ કરી #માનવજીવન સાર્થક કરવા અતિ આવશ્યક છે...
~ વિનુભાઈ ધાખડા