Dr.Nilesh Patel Surat

Dr.Nilesh Patel Surat Developing 66 bed,Inpatient Rehab,Geriatric, Palliative,Post Surgical Care Center@Baben-Bardoli-Surat

11/10/2022

રોગો બે પ્રકારના હોય છે
સાધ્ય અને અસાધ્ય... અથવા.... અમુક રોગનો સાધ્ય તબક્કો અને અસાધ્ય તબક્કો.... આ ખાસ સમજવા જેવું છે.

અને
ટ્રીટમેન્ટ કે સારવાર પણ
મૂળભૂત રીતે બે પ્રકારની હોય છે... આ પણ ખાસ સમજવા જેવું છે.

1). Curative Treatment
એટલે કે ઉપચારાત્મક કે રોગનિવારક કે રોગનું નિવારણ કરી શકે તેવી ટ્રીટમેન્ટ.... બીજા શબ્દોમાં રોગને મટાવી શકે તેવી ટ્રીટમેન્ટ

2). Palliative Treatment
રોગ અસાધ્ય છે અથવા એડવાન્સ અને અસાધ્ય સ્ટેજમા છે... એટલે હવે તેવા સંજોગોમાં ફકત રાહત રહે, તકલીફ ઓછી પડે તેવી ટ્રીટમેન્ટ કીમતી છે અને તેને પેલિયેટિવ ટ્રીટમેન્ટ કહેવાય

જેમ કે, હાર્ટ ફેલ્યોરનું એડવાન્સ સ્ટેજ કે અમુક પ્રકારના કેન્સર કે અમુક પ્રકારના કેન્સરનો એડવાન્સડ સ્ટેજ એટલે હવે તેને મટાડવો શક્ય નથી... અને કોઈ પણ પથી માં શક્ય નથી... અને જો શક્ય હોય / હોત તો WHO તે રોગને... xyz પથી થી સાધ્ય જાહેર કરી દે.

પણ લોકોમાં
બે પ્રકારની ટ્રીટમેન્ટ અને રોગોના બે પ્રકાર કે બે સ્ટેજ...આટલી સ્પષ્ટ સમજણ હોતી નથી... એટલે તેનો લાભ અમુક લેભાગુ લોકો લેતા હોય છે !!
......

સામાન્ય રીતે,
લોકોના મનમાં, એવું ફીટ હોય છે કે,
દરેક વખતે... સારવાર એટલે.... Active treatment કે રોગને મટાડવાની દવાઓ કે રોગનું નિવારણ કરવાની દવાઓ... એટલે કે curative treatment...

પણ અમુક લેભાગુ લોકો.... .... અમુક અમુક પથીના નામની પાછળ છુપાઈને ફકત લક્ષણ રોકવાની દવાઓ આપે !!! અને એટલે... ... લોકોના મનમાં એક ભ્રમ રચાતો હોય છે કે, આવી લેભાગુ/ ચમત્કારિક સારવારથી xyz નો રોગ મટી જશે !! તેનો ઉપચાર થઈ જશે !! ચમત્કાર થશે !! પણ આમાં ને આમાં બરબાદ.... ... ....
.....

આ એક ભૂલ છે
અને બીજી ભૂલ છે...

મૃત્યુ નજીક છે તેવું જાણ્યા પછી પણ...
xyz ની મૃત્યુ સંબંધિત ઈચ્છાઓને માન આપતા નથી હોતા !!
તેની પીડાને દૂર કરવા માટે પણ કશું કરવા તૈયાર નથી !!!
અને તેમની ઈચ્છા પ્રમાણેના મૃત્યુ માટે પણ કશું કરતા નથી !!!

એટલે કે, એક બાજુએ... xyz રોગ મટી જશે તેવા ભ્રમમાં રાચે
અને બીજી બાજુએ ઓરિજીનલ પેલિયેટિવ સારવાર પણ ન આપે !!

એટલે મૃત્યુ પણ ના સુધરે
અને બીજી બાજુએ પૈસાકિય રીતે બરબાદ પણ થાય.

કારણ શું ?!
કારણ... ફકત લોકોની અજ્ઞાનતા કે હેલ્થ એજ્યુકેશન ની કમી.
.....

જ્યારે નક્કી જ છે કે
હવે રોગ અસાધ્ય છે કે રોગનો તબ્બકો અસાધ્ય છે ત્યારે.... xyz વ્યક્તિની ઈચ્છાઓનું મહત્વ છે... એ અમૂલ્ય છે.

Xyz નું મૃત્યુ તેની ઈચ્છા પ્રમાણેના
સમય / સંજોગો / પરિસ્થિતિમાં થાય તે ખૂબ મહત્વનું છે...
અને તેની તકલીફો ઓછી થાય તે પણ ખૂબ મહત્વનું છે.

એટલે આના માટે.... મોર્ડન મેડિસીને એક એમડી સમકક્ષ... આખી નવી સ્પેશ્યાલીટી વિકસાવી છે... અને તેનું નામ છે... Palliative Medicine.

આ બે ભૂલ... ખૂબ જ સામાન્ય છે.
સામાન્ય રીતે જોવા મળે છે.

કોણ પોતાના માતા-પિતાના પ્રેમ ન કરતું હોય ?!સૌ કોઈપોતાના માતા-પિતાના સ્વાસ્થ્ય માટેસતત ચિંતિત હોય છે. જેમ બાળ અવસ્થા અલગ ...
19/06/2022

કોણ પોતાના માતા-પિતાના પ્રેમ ન કરતું હોય ?!

સૌ કોઈ
પોતાના માતા-પિતાના સ્વાસ્થ્ય માટે
સતત ચિંતિત હોય છે.

જેમ બાળ અવસ્થા અલગ છે અને બાળકોનું પોષણ, બાળકોના રોગો પણ અલગ છે અને બાળકોના સ્પેશ્યલ ડોકટરને
પેડિયાટ્રિશ્યન/ pediatrician/ paediatrician કહેવાય અને મેડિકલ ની આં સ્પેશ્યલ બ્રાન્ચને paediatrics કહે છે.

બરાબર તે જ રીતે
વૃદ્ધ અવસ્થા અલગ છે, તેનું પોષણ અને તેના રોગો અલગ છે અને તેની મેડિકલ બ્રાન્ચને Geriatrics કહેવાય અને વૃદ્ધોના સ્પેશ્યલ ડોક્ટરને જેરિયાટ્રિશ્યન / Geriatrician કહેવાય.

પણ કેમ કે,
વૃદ્ધ અવસ્થા વિશેની ઉંડાણપૂર્વકની સમજ, શોધ, સંશોધન... આખા જગતમાં... છેલ્લા 20-30 વર્ષમાં જ શરૂ થયા એટલે આજની તારીખે પણ મુંબઈમાં પણ જેરિયાટ્રિશ્યન ડોકટર આંગળીના વેઢે ગણાય તેટલા છે, સુરતમાં એક પણ નથી, કદાચ અમદાવાદમાં ગણ્યા ગાંઠ્યા હોય શકે એટલે બાળકોની સ્પેશ્યલ હોસ્પિટલની જેમ વૃદ્ધોની સ્પેશ્યલ હોસ્પિટલ નો તો કોઈ સવાલ જ નથી ગુજરાત માં !!

એટલે
21 મી સદીમાં પણ ગુજરાતમાં વૃદ્ધ અવસ્થા સંબંધિત મેડિકલ નોલેજ... લોકો પાસે નહિવત કે લિમિટેડ છે.... પણ હા, દેશી ડોશી શાસ્ત્ર છે !! અને આપણે તે અધકચરા જ્ઞાનથી જ... વૃદ્ધ અવસ્થાને જોઈ સમજીએ છીએ અને વળી પાછો તે જ ડોશી શાસ્ત્રનો પ્રચાર કરીએ છીએ... પ્રસાર કરીએ છીએ !! ફેલાવો કરીએ છીએ!! અને આ 21મી સદીની જ વાત છે !!
.....

વૃદ્ધાવસ્થા માં જોવા મળતી
sarcopenia કે સાર્કોપેનીયાનાં ( સ્નાયુઓ ઘટવા )
ત્રણ મુખ્ય Sign / ચિન્હો કંઇક આવા છે.

1). સ્નાયુની તાકાત કે muscle strength ઘટી જાય,
2).સ્નાયુનો જથ્થો કે muscle mass ઘટી જાય,
3). physical performance કે શારીરિક કાર્ય કરવાની સ્પીડ કે ક્ષમતા ઘટી જાય....

અથવા સાદી ભાષામાં... સર્કોપેનિયા એટલે કે સ્નાયુઓ ગળી જવા.

વૃદ્ધ અવસ્થા ને સારી રીતે પસાર કરવા કે.... રોગ અને તકલીફ વગર પસાર કરવા માટે કે... આયુષ્ય લાંબુ કરવા માટે... sarcopenia / સાર્કોપેનીયા ની સ્પીડ ઘટાડવી પડે.
.....

બાલ્યાવસ્થામાં અને પુખ્તઅવસ્થામાં
વિટામિન ડી...
મુખ્યત્વે સૂર્યપ્રકાશ....ત્વચા ઉપર પડે...અને ત્વચાની નીચે રહેલા અમુક કોલેસ્ટ્રોલ માંથી... ધીરેધીરે વિટામિન ડી બને અને શરીરની વિટામિન ડી ની જરૂરિયાત ઘણા મોટા અંશે ( લગભગ લગભગ 90 %) પૂર્ણ થાય... પણ... .... ....વૃદ્ધ અવસ્થામાં.... આ રીતે સૂર્યપ્રકાશથી વિટામિન ડી ની બનવાની ની સ્પીડ લગભગ લગભગ 50 થી 70 ટકા જેટલી ઘટી જાય છે...અને એટલે સૂર્યપ્રકાશથી વિટામિન ડી ની જરૂરિયાત પૂરી થવાનું... ઘણું ખરું ખત્મ થઈ જાય છે એટલે વિટામિન ડી.... ખોરાકમાંથી લેવાનું સેટ કરવું પડે... પણ વૃદ્ધોનો ખોરાક જ લિમિટેડ હોય છે અને હેલ્થી ખોરાક પણ લિમિટેડ હોય છે અને વૃદ્ધોનું સૂર્યપ્રકાશમાં જવાનું પણ ખૂબ લિમિટેડ હોય છે.

એટલે વૃદ્ધ અવસ્થામાં વિટામિન ડીનું લેવલ વારંવાર ચેક કરવું કીમતી છે... અને ઉણપ હોય તો તે પ્રમાણે....વિટામિન ડી... દવાના રૂપમાં લેવાનું ખૂબ કીમતી છે.... વિટામિન ડી ની ઉણપ વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને... જોવા મળતી જ હોય છે..

વિટામિન ડી ની ઉણપ... સાર્કોપેનીયાની સ્પીડ વધારે
અને
સાર્કોપેનીયાની સ્પીડ ઘટાડવામાં કે સાર્કોપેનીયાને પાછળ ધકેલવામાં... ચાર મુખ્ય ફેક્ટર માનું એક વિટામિન ડી છે.
....

સાર્કોપેનીયાને કારણે....ઘણી વખત... સ્નાયુની ક્ષમતા ઘટી જવાને કારણે... વૃદ્ધ નું એકાએક પડી જવું... ફ્રેકચર થઈ જવું... અને એટલે ઓપરેશન... અને વૃદ્ધ અવસ્થામાં હીલિંગ ની સ્પીડ ઘટી જતી હોય છે... એટલે... વૃદ્ધે... સર્કોપેનીયા ને કારણે....આડકતરી રીતે લાંબો સમય પથારીવશ થઈને રહેવું... પડતું હોય છે.

વિટામિન ડી
આયુષ્ય વધારવા માટે,
સ્વસ્થ વૃદ્ધ અવસ્થા માટે ખાસ કીમતી છે..

અને જેમના વૃદ્ધ માતાપિતા આં રીતે...
એકાએક ભૂતકાળમાં પડી ચૂક્યા છે...
અથવા તેમને આ રીતે પડવાથી ફેક્ચર થઈ ચૂકેલ છે...
અથવા અત્યારે પથારી વશ છે...
અથવા અત્યારે કસરત કરતા નથી...
અથવા ચાલતા પણ નથી...
અથવા સૂર્ય પ્રકાશમાં જતા નથી....
અથવા બરાબર ખાઈ શકતા નથી કે ખાતા નથી....

તેમના પુત્ર - પુત્રીએ તો
વૃદ્ધ માતા પિતાના વિટામિન ડી ઉપર ખાસ ધ્યાન આપવું

વધુ માટે વૃદ્ધાવસ્થા પાર્ટ 2...
https://www.facebook.com/groups/271709813968047/permalink/752069369265420/

વૃદ્ધાવસ્થા પાર્ટ 3
https://m.facebook.com/groups/271709813968047/permalink/752461265892897/

#વિટામિન

ફ્રીઝ કે એસીલેવા જઈએ એટલે જોઈએ કે કેટલા સ્ટાર છે?!... વીજળીની બચત કેટલી કરશે તેના માટે સ્ટાર જોઈએ અને પસંદગી માં તેને ધ્...
28/03/2022

ફ્રીઝ કે એસી
લેવા જઈએ એટલે જોઈએ કે કેટલા સ્ટાર છે?!... વીજળીની બચત કેટલી કરશે તેના માટે સ્ટાર જોઈએ અને પસંદગી માં તેને ધ્યાનમાં લઈએ છીએ

કેમ કે,
તેના સ્પેસિફિકેશન ની વિગત વાંચવાનો સમય નથી કે સમજાતું નથી કે વાંચી શકતા નથી કે ઈંગ્લીશ નથી આવડતું... એટલે સ્ટાર રેટિંગ સીધું અને સરળ પડે છે.... વાંચતા નાં આવડતું હોય કે વધુ ખબર ના પડતી હોય તો પણ સ્ટાર જોઈને સીધું સમજાય જાય કે પ્રોડક્ટ કેવી હશે

બરાબર આવી જ રીતે
ફૂડ પ્રોડક્ટ લેતી વખતે પણ... કઈ ફૂડ પ્રોડક્ટ કેટલી હેલ્થી છે તે સમજવા માટે..

કદાચ એવું બને કે ઈંગ્લીશ આવડતું ન હોય કે,
ઝીણા અક્ષર વાંચવામાં તકલીફ પડતી હોય કે
મોલમાંથી ઘણું બધું અને ફટાફટ લેવું હોય કે
બધાની નોર્મલ રેન્જ નાં ખબર હોય એટલે....

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અમુક દેશોએ.... પેકેજડ ફૂડ પ્રોડક્ટ કે ફૂડ પેકેટ ઉપર... આવા સ્ટાર રેટિંગ ની સીસ્ટમ વિકસાવી છે... જે ન્યુટ્રીશનલ લેબલ ઉપરાંતની છે...અને ખૂબ જરૂરી પણ છે..
......

ભારતની FSSAI સંસ્થાએ પણ હમણાં IIM-A પાસે આવો
ફ્રન્ટ લેબલ માટે નો સર્વે કરાવ્યો અને આ સર્વે રિપોર્ટ પ્રમાણે 5 અલગ અલગ પ્રકારની ફ્રન્ટ લેબલની સિસ્ટમમાંથી... હેલ્થ સ્ટાર રેટિંગ સીસ્ટમ જ... ભારતીયોને વધુ અનુકૂળ લાગી

એટલે.... FSSAI... ભારતમાં આવી હેલ્થી સ્ટાર રેટિંગ સીસ્ટમ.... ફૂડ પેકેટ ઉપર ફરજીયાત કરવાની ગોઠવણ કરી રહ્યું છે...આશા રાખીએ કે જલદી થી... આ હેલ્થ સ્ટાર રેટિંગ સીસ્ટમ... ભારતમાં પણ અમલી બને

અને
ફૂડ પેકેટ ફકત જોઈએ એટલે તુરંત જ....એક જ સેકન્ડમાં.... સ્ટાર જોઈને ખબર પડી જાય કે આ કેટલું હેલ્થી છે !! અને અનેકો બિસ્કીટ નાં પેકેટ સાથે તરત જ..સેકન્ડમાં સરખામણી કરી શકાય કે કયું હેલ્થની દ્વષ્ટિએ પસંદ કરવું જોઈએ.

ફાયબર ઓપ્ટિક કેબલ ઘણી બધી ઝડપથી પ્રકાશને એટલે કે લાઇટ ને transmit કરી શકે છે કે પસાર કરી શકે છે.... એના કારણે મેડિકલ એન્...
20/03/2022

ફાયબર ઓપ્ટિક કેબલ ઘણી બધી ઝડપથી
પ્રકાશને એટલે કે લાઇટ ને transmit કરી શકે છે કે પસાર કરી શકે છે.... એના કારણે મેડિકલ એન્ડોસ્કોપી ઘણી ઝડપથી વધતી ગઈ.

ફાયબર ઓપ્ટિક કેબલ
જેમ જેમ વિકસતા ગયા તેમ તેમ
એન્ડોસ્કોપી એટલે સામાન્ય શબ્દોમાં દૂરબીન થી તપાસ વિકસતી ગઈ.

કેમ કે,
ફાયબર ઓપ્ટિક કેબલ... rigid કે જડ નથી હોતા ફ્લેક્સીબલ હોય છે એટલે કે જરૂર પડે તેમ વાળી શકાય છે એટલે પણ મેડિકલ એન્ડોસ્કોપી ખૂબ જ વિકસતી ગઈ.
....

મેડિકલ એન્ડોસ્કોપી નું એક મોટું ક્ષેત્ર છે
gastroendoscopy એટલે કે
પેટની દૂરબીન થી તપાસ કે
આંતરડાની દૂરબીન થી તપાસ કે
અન્નનળી ની કે જઠર દૂરબીન થી તપાસ

આવી તપાસ
Gastroentrologist ડોકટર કરે.

કબજિયાત, ગેસ, પેટના દુખાવામાં
gastroendoscopy ઘણું બધું નિદાન કરી શકે છે અને
ઘણા કિસ્સામાં સારો એવો ઉપચાર પણ કરી શકે છે.

જે રીતે તમે દૂરબીન થી દુર નું જોઈ શકો
બારબાર તે જ રીતે એન્ડોસ્કોપ થી ડોકટર શરીરની અંદર જોઈ શકે અને પેશન્ટ નાં સગાને એલસીડી સ્ક્રીન ઉપર બતાવી પણ શેકાને આખી પ્રોસિજર રેકોર્ડ પણ કરી શકે...અને આ બધો ફાઈબર ઓપ્ટિક કેબ્લને કારણે અને મોર્ડન સાયન્સ નાં જ્ઞાન નાં કારણે શક્ય બન્યું છે.

અલગ અલગ પ્રકારના
gastroendoscope થી તમે
આંતરડાં, જઠર, અન્નનળી ની...દૂરબીન કરતા પણ ખૂબ સારી રીતે જોઈ શકો.

પણ આમાં ક્યારેય
જુનો મળ... બહુ બધા લોકોના... આંતરડાંમાં ચીપકી ને રહેતો હોય અને બહુ બધા લોકોની... તંદુરસ્તી બગાડે તેવું કશું કોઈ પણ gastroentrologist ને દેખાયું નથી... હા, એ વાત અલગ છે કે કોઈ ગાંઠ કે કૅન્સર કે બીજા કોઈ કારણસર મળ... xyZ પેશન્ટમાં....

પણ સામાન્ય લોકોમાં.... સામાન્ય રીતે...આવું કશું જ હોતું નથી અને જગતના કેટલાય gastroentrologist... કેટલીય એન્ડોસ્કોપી...રોજે...આખા જગતમાં કરતા હશે.

આટલું બધું વિજ્ઞાન આગળ વધી ગયા પછી પણ
અમુક નેચરોપેથી ની શિબિરમાં... હજાર લોકો... સવાર સાંજ એનિમા ( e***a) લેતા જોવ એટલે... .... ..... !!!

અને એટલા શાંતિથી લોકો પણ સાંભળતા અને એનિમા લેતા હોય છે કે.... .... .... !!!!

21 મી સદીમાં, વિજ્ઞાન જ્યારે આટલું આગળ વધી ગયું છે ત્યારે, રોજે એનિમા ને ટાળો.

નેચરો પથીના રિસોર્ટ માં કે સેન્ટર ઉપર જાવ તો પણ
જૂના મળ કે એનિમા કે e***a.... ની સિસ્ટમમાં પડવું નહિ... એ સિવાયની બીજી બધી નેચરો થેરાપી લગભગ લગભગ નિર્દોષ છે... અથવા તો એ અનુભવી નેચરોપેથ નાં માર્ગદર્શન હેઠળ થતી હોય નિર્દોષતા ની નજીક હોય છે.

હા, એ અલગ વાત છે કે,
મોર્ડન સાયન્સ નાં નિદાન પછી
મોર્ડન સાયન્સના ડોકટર તમને એનિમા લેવાની સલાહ આપે એ અલગ વાત છે... પણ એ જનસામાન્ય નિયમ નથી કે લોકોને જૂના મળ ને કારણે પેટની તકલીફ થાય અને એટલે બધાયે... રોજે એનિમા લેવો જોઈએ... રોજે જ એનિમા... અને એ પણ મેડિકલ સલાહ કે સુપરવિઝન વગર... એ ચોક્કસ જ જોખમ ને નોતરવા બરાબર છે.

Address

Surat
395003

Telephone

+919408873187

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Nilesh Patel Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category