10/02/2026
વાવ પંથકના શિક્ષણ જગતનો એક તેજસ્વી સિતારો અસ્ત થયો...
વાવના 'આર્યભટ્ટ' તરીકે જાણીતા અને અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં ગણિતનો પ્રકાશ ફેલાવનાર આદરણીય શ્રી ભરતભાઈ ત્રિવેદી સાહેબના અવસાનના સમાચાર જાણી અત્યંત આઘાત અને દુઃખની લાગણી અનુભવું છું.
તેઓ માત્ર એક શિક્ષક નહોતા, પણ એક એવા જ્ઞાનના ઋષિ હતા જેમણે નિઃસ્વાર્થ ભાવે શિક્ષણની ધૂણી ધખાવી હતી. વાવ પંથકના અંતરિયાળ વિસ્તારોના બાળકોના જીવનના સમીકરણો સુધારવામાં તેમનું યોગદાન હંમેશા સુવર્ણ અક્ષરે લખાશે.
પાળુ પરમાત્મા ભોળાનાથ તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવાર તથા સ્નેહીજનોને આ વજ્રપાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ભાવભીની શ્રદ્ધાંજલિ! 🙏